વિશ્વ વંદનીય શ્રી મોરારિબાપુ હસ્તે બોટાદની ઈશા નાંગરના પુસ્તકનું વિમોચન - At This Time

વિશ્વ વંદનીય શ્રી મોરારિબાપુ હસ્તે બોટાદની ઈશા નાંગરના પુસ્તકનું વિમોચન


વિશ્વ વંદનીય શ્રી મોરારિબાપુ હસ્તે બોટાદની ઈશા નાંગરના પુસ્તકનું વિમોચન

દેશની અગ્રણી શિક્ષણ સંસ્થા આઈ.આઈ.ટી.ઇ. ગાંધીનગરના સેન્ટર ઓફ એજ્યુકેશનમાં હાલ તૃતીય વર્ષમાં અભ્યાસ કરતી સાયલા થોરિયાળીના વતની, બોટાદ નિવાસી કુ.ઈશા રત્નાકર નાંગર દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમી થ્રુ પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક "રંગભર્યા આકાશમાં"નું વિશ્વ વંદનીય શ્રી મોરારિબાપુના વરદ હસ્તે ગાંધીનગર ખાતે "માનસ આચાર્ય" રામકથામાં ગૌરવપ્રદ વિમોચન કરવામાં આવ્યું હતું રાજ્ય પ્રા.શિક્ષક સંઘ,નિજાનંદ ગ્રુપ,માલધારી સમાજ અને ચિત્રકૂટધામ ટ્રસ્ટ પરિવારના ઉપક્રમે યોજાયેલ અને 170 દેશોમાં પ્રસારિત રામકથા જેવા વૈશ્વિક પ્લેટફોર્મ પર ઈશા નાંગરના પ્રથમ પુસ્તકનું વિમોચન એ સમસ્ત માલધારી સમાજની કન્યા કેળવણી માટે પણ બહુ જ મોટી પ્રેરક ઘટના હતી

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.