મહીસાગર જિલ્લાના ૪૨ પાટીદાર સમાજ ઘર,લુણાવાડા ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો - At This Time

મહીસાગર જિલ્લાના ૪૨ પાટીદાર સમાજ ઘર,લુણાવાડા ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો


ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ-સહાય જૂથોનું ચેક વિતરણ કાર્યક્રમ ૪૨ પાટીદાર સમાજઘર લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને. આજીવિકામાં વધુ સુધારો આવે અને ગરીબીમાંથી બહાર આવે એ હેતુથી 'રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના'ની શરૂઆત કરવામાં આવી છે. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા કેશ ક્રેડિટ આપવામાં આવે છે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના ૧૦૧ સ્વ સહાય જૂથ સખીમંડળની બહેનોને વિવિધ યોજના અંતર્ગત રૂા.૧૦૧.૦ લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નિયામક,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જિલ્લા લાઈવલીહુડ મેનેજરએ આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે કાર્યક્રમના અંતે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સખીમંડળની બહેનોની સ્ટોલની મુલાકાત લીઘી હતી.આ પ્રસંગે કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી લાખાણી ,નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન,તાલુકા પંચાયત પ્રમુખ, સહીત મોટી સંખ્યામા સખીમંડળની બહેનોની ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.