રાજકોટમાં AICCના પ્રવક્તાએ કહ્યું- 150 દિવસમાં 3500 કિમી ફરીને મોંઘવારી સહિતનાં મુદ્દે લાખો લોકો સાથે ચર્ચા કરાશે - At This Time

રાજકોટમાં AICCના પ્રવક્તાએ કહ્યું- 150 દિવસમાં 3500 કિમી ફરીને મોંઘવારી સહિતનાં મુદ્દે લાખો લોકો સાથે ચર્ચા કરાશે


રાજકોટમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા દેવાશિષ જરારીયા મુલાકાતે આવ્યા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 7 સપ્ટેમ્બરના રોજ ભારત જોડો યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં 150 દિવસમાં 3500 કિમી ફરીને મોંઘવારી સહિતનાં મુદ્દે લાખો લોકો સાથે ચર્ચા કરાશે.

દેવાશિષ જરારીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં આ પ્રવાસની ખૂબ જ જરૂર હતી. છેલ્લા 8 વર્ષમાં મોંઘવારી, બેરોજગારી, સામાજિક તણાવ અને ભાંગી પડેલી સંસ્થાઓનોને ભયાનક અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ભારત જોડો યાત્રા 3 મુખ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલું છે આર્થિક અસમાનતા, બીજું સામાજિક ભેદભાવ અને ત્રીજું રાજકીય રીતે અતિશય કેન્દ્રીકરણ. આ ત્રણ મુખ્ય સમસ્યાઓ સામે તમામ ભારતીયોને એક કરવા માટે આ યાત્રા કાઢવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.