*ગાંધી જયંતિ નિમિત્તે બોટાદ રેલવે પ્રસાશન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો - At This Time

*ગાંધી જયંતિ નિમિત્તે બોટાદ રેલવે પ્રસાશન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો


*ગાંધી જયંતિ નિમિત્તે બોટાદ રેલવે પ્રસાશન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો*
બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જ્યંતી નિમિતે બોટાદ રેલવે પ્રસાશન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રેલવે સ્ટેશન પર કરવામાં આવેલ. સ્વચ્છતા અંગે ના શપથ રેલવે ના સ્ટેશન માસ્ટર એમ. સી. ગુપ્તા એ લેવડાવેલ. ત્યાર બાદ સ્વચ્છતા ના સૂત્રો સાથે ની જન જાગૃતિ રેલી કાઢવામાં આવેલ. અને ત્યાર બાદ જુદી જુદી જગ્યાથી પ્લાસ્ટીક કચરો એકત્ર કરી શ્રમદાન કરવામાં આવેલ. રેલવે બહેનો દ્વારા ઘનિષ્ઠ સફાઈ કરવામાં આવેલ. આ પ્રસંગે રેલવે પ્રસાશન ના એમ. સી. ગુપ્તા, મંડલ વાણિજ્ય નિરીક્ષક એન. સી. ગોહિલ, હેડ ટી. સી. આર. પી. મેઘવંશી, આઇ. પી. એફ. દિલીપ ચાવડા, જાયન્ટ્સ ફેડરેશન ઑફિસર (પર્યાવરણ) સી. એલ. ભીકડીયા, યુનિટ ડિરેક્ટર કેતન રોજેસરા, જાયન્ટ્સ સંસ્થા ના લાલજી ભાઈ કલથીયા, દિલીપ ભલગામીયા, ફુલા ભાઈ પટેલ, મહેશ શાહ, દર્શન પટેલ, સંજય ઝાંઝરૂકિયા, • નરેશ માવાણી, રાજેન્દ્ર ઓઝા તથા રેલવે નો સ્ટાફ હાજર રહેલ.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.