પોરબંદરમાં મુખ્યમંત્રીશ્રીએ ખારવા સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી - At This Time

પોરબંદરમાં મુખ્યમંત્રીશ્રીએ ખારવા સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી


*પોરબંદરમાં મુખ્યમંત્રીશ્રીએ ખારવા સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી*
૦૦

*મુખ્યમંત્રીશ્રીનું ખારવા સમાજ દ્વારા સમ્માન કરાયું*
ooo

*મુખ્યમંત્રીશ્રીએ પંચાયત મંદિર મઢીના દર્શન કરી ધન્યતા અનુભવી*
પોરબંદર.તા.૦૨, પૂજ્ય બાપુના જન્મજયંતી નિમિતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા.જ્યાં પંચાયત મંદિર ખાતે ખારવા સમાજ દ્વારા રામદેવજી મહારાજની પ્રતિકૃતિ આપી તેમનું સમ્માન કરાયું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પોરબંદરના ખારવા સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હકારાત્મક સૂચનો આવકાર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીનું ગુજરાત ખારવા સમાજ પ્રમુખશ્રી પવનભાઈ શિયાળ અને અગ્રણીઓએ સન્માન કર્યું હતું.

આ તકે કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખીરીયા,જિલ્લા અગ્રણી કિરીટભાઈ મોઢવાડીયા, સંગઠનના પ્રભારીશ્રી મહેશ કશવાલા, ગુજરાત ખારવા સમાજ પ્રમુખશ્રી પવનભાઈ શિયાળ સહિત પદાધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon