ભુપેન્દ્ર રોડ પર નિલદીપ ગેસ્ટ હાઉસમાં જયેશ તન્નાએ ઝેરી દવા ગટગટાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/i3njibdoqlk9doxg/" left="-10"]

ભુપેન્દ્ર રોડ પર નિલદીપ ગેસ્ટ હાઉસમાં જયેશ તન્નાએ ઝેરી દવા ગટગટાવી


શહેરના ભૂપેન્દ્ર રોડ પર આવેલા નીલદીપ ગેસ્ટ હાઉસ માં આજે સવારના સમયે આધેડે ઝેરી દવા પીધી હતી ત્યારબાદ અચાનક પડી જતા શરીરે ઇજા થયેલી હાલતમાં તેમને સારવાર માટે તુરંત સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. આધેડે વ્યાજખોરના ત્રાસથી પગલું ભરી લીધાનું મળી આવેલી સ્યુસાઇડ નોટ પરથી જાણવા મળ્યું છે.
બનાવની વધુ વિગતો મુજબ,રૈયા રોડ જ્ઞાનજીવન સોસાયટીમાં રહેતા જયેશ કનૈયાલાલ તન્ના નામના 45 વર્ષે આધેડે આજે સવારે ભુપેન્દ્ર રોડ પર આવેલી ગેસ્ટ હાઉસમાં કોઈ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી.
સારવારમાં રહેલા જયેશભાઈ તન્ના એ આજે આપઘાત નો પ્રયાસ કરતા તેમજ ઝેરી દવા પીધા બાદ અચાનક નીચે ભટકાતા મોઢે ગંભીર ઇજા થઈ હતી. તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં અમુક વ્યાજખોરોના નામ આપ્યા છે તેમજ તે વ્યાજખોરો પાસે થી નાણા વ્યાજે લીધા હોય તેવો અવારનવાર પૈસાની પઠાણી ઉઘરાણી કરતા આજે સવારે નિલદીપ ગેસ્ટ હાઉસ માં રૂમ ભાડે રાખી ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
આ અંગે એ ડિવિઝન પોલીસ મથકના સાથે તુરંત સિવિલ હોસ્પિટલે પહોંચી હતી ત્યાંથી જાણવા મળ્યું હતું કે,જયેશભાઈને સંતાનમાં એક પુત્રી છે.ગઈ તા.25/09ના રોજ હું કાર્યક્રમમાં જાવ છું હું હવે નહીં જીવું તેમ પુત્રીને કહી ગયા બાદ તેમની પરિવારે શોધખોળ આદરી હતી ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસમાં ગુમનોંધ કરાવી હતી અને બાદમાં આજે જયેશભાઈએ પગલું ભરી લીધાનું જાણવા મળતા પોલીસે પહોંચી પૂછપરછ કરતા પોતે કામ ધંધો કરતા નથી અને બે ભાઈ એક બહેનમાં વચેટ અને તેમને રૂ.60 લાખ કોઈ વ્યક્તિ પાસેથી લેવાના હોવાનું તેમણે જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]