ભારતના બાર જ્યોતિલિંગની યાત્રાએ નીકળેલ પદ યાત્રી વિસાવદર ખાતે પહોંચ્યા. - At This Time

ભારતના બાર જ્યોતિલિંગની યાત્રાએ નીકળેલ પદ યાત્રી વિસાવદર ખાતે પહોંચ્યા.


ભારતના બાર જ્યોતિલિંગની યાત્રાએ નીકળેલ પદ યાત્રી વિસાવદર ખાતે પહોંચ્યા.
વિસાવદર ખાતે તારીખ 26/2/23 ના રોજ ભારત દેશના બાર જ્યોતિલિંગની પદ યાત્રામાં નીકળેલ યાત્રિકમનીષ શર્મા જોલપૂર રાજસ્થાનથી નીકળ્યા બાદ વિસાવદર આવી પહોંચ્યા હતા.
ભારતના બાર જ્યોતિલિંગની પદ યાત્રા મનીષ શર્માજીએ ઉજ્જૈનથી શુભઆરંભ કરી હાલ ગુજરાતમા આવેલ જ્યોતિલિંગ સોમનાથના દર્શન કરી તેઓ ત્રમ્બકેશ્વર જ્યોતિલિંગના દર્શન કરવા માટે જવા રવાના થયેલ છે. ત્યારે તેઓ આજે વિસાવદર રાત્રી રોકાણ વિસાવદર આર્ય સમાજ ખાતે રાખવામાં આવ્યું હતું. રૂબરૂ મુલાકાત દરમ્યાન શર્માજીએ જણાવ્યું હતું કે,એક વર્ષમાં 9000 કિ. મી. ની આ પદ યાત્રા પૂર્ણ થશે.તેઓએ આ પદ યાત્રા વિશ્વ શાંતિ જળવાઈ રહે તેમજ વિશ્વ કલ્યાણના આશયથી આ પદ યાત્રા કરી રહ્યા છે.
વિસાવદર આર્ય સમાજ ખાતે સેવાભાવી મહાનુભાવો ભોલેનાથ જીતુપરી બાપુ સુધીરભાઈ વગેરે લોકોએ પુરા સાથ સહકાર આપી "અતિથિ દેવો ભવસાર્થક કર્યું હતું.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.