માંગરોળમાં સુખાનંદી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન - At This Time

માંગરોળમાં સુખાનંદી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન


👁 ચક્ષુદાન-મહાદાન👁

માંગરોળમાં સુખાનંદી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

માંગરોળમા રહેતા અને ભુતપૂર્વ પત્રકાર સ્વ.ગીરધરદાસ(બાબુભાઈ) સુખાનંદી ઉ.વર્ષ.૯૬(રહે.કાજુ ફળિયા)કે જેઓ માંગરોળના વરિષ્ઠ પત્રકાર અને સુભાશિષના તંત્રી તેમજ શિવમ્ ચક્ષુદાન આરેણા ગૃપના ગુરુ એવા ગુણવંતભાઈ સુખાનંદી તેમજ મહેન્દ્રભાઈ,મુકુંદભાઈ તથા શૈલેષભાઈના પિતાશ્રી થાય છે. નું આજ રોજ તા.18.02.2023 ને શનિવાર,મહા વદ શિવરાત્રીના રોજ ઉંમરના કારણે દુઃખદ અવસાન થયેલ છે.

આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો આથી માંગરોળમાં ચાલતી વિવિધ સેવાકીય સંસ્થા સાથે જોડાયેલ શ્રી પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાનના સંચાલકશ્રીનો સંપર્ક કરતાં લોએજ ગામના રાજેશભાઈ સોલંકી અધ્યારુ હોસ્પિટલ ના દ્વારા મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. જે ચક્ષુનો સ્વિકાર શિવમ્ ચક્ષુદાનના કાર્યકર સતિષભાઈ જોટવા દ્વારા કરવામાં આવ્યો હતો.અને કરશનભાઈ વાજા દ્વારા સ્વર્ગસ્થના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને પહોંચાડવામાં આવ્યાં છે.
ચક્ષુદાન લેતી વખતે શાંતિલાલ નિમાવત બાપુ અને સુખાનંદી પરિવાર તેમજ સાધુ સમાજના આગેવાનો અને કુટુંબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સુખાનંદી પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.ગીરધરદાસને શ્રધ્ધાંજલી અર્પે છે.આ પરિવાર દ્વારા અગાઉ પણ એક ચક્ષુદાન થયેલ છે અને પત્રકારશ્રી ગુણવંતભાઈ સુખાનંદી શિવમ્ ચક્ષુદાન આરેણાને ખુબ સારો એવો સાથ અને સહકાર આપે છે.જેઓ અમારા માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

સુખાનંદી પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ ગીરધરદાસના આત્માને મહાદેવના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....

સંકલન નાથા ભાઈ નંદાણીયા
રિપોર્ટર સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.