તખતગઢ હાઇસ્કૂલનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો - At This Time

તખતગઢ હાઇસ્કૂલનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે, તખતગઢ કેળવણી મંડળ સંચાલીત આર. એન.પટેલ હાઇસ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમનું લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટ તખતગઢના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ દેવશીભાઈ છાભૈયાના અધ્યક્ષસ્થાને અને સંત પુરૂષોત્માનંદજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરાયું હતું. જેમાં બાળકોમાં આત્મવિશ્વાસ અને વહિવટી કુશળતા વધે તે આશ્યથી કે.જી.થી માંડી ધો.૧૨ના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ૨૩ ઈવેન્ટમાં ૧૮૫ બાળકોએ આબેહુબ વેશભુષા સાથે ધાર્મિક, સામાજિક, રાજકીય સહકારી, કોમેડી હાસ્ય પ્રેરીત કૃતિઓ રજૂ કરીને આકર્ષણ જમાવ્યું હતું. ભાગ લેનાર તમામ બાળકોને દાન-દાતાઓ તરફથી રોકડ પુરષ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે કેળવણી મંડળના મંત્રી દશરથભાઈ.એ.પટેલે સર્વને આવકાર્યા હતા. કેળવણી મંડળના એસ.પટેલ વગેરે પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. આભાર વિધિ સહમંત્રી કિરીટભાઈ.પી.પટેલે કરેલ હતી. વિશાળ સંખ્યામાં લોકોએ કાર્યક્રમને માણ્યો હતો. રાજુભાઈ એમ.છાભૈયાએ સંચાલન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.