મહિસાગર : સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો. - At This Time

મહિસાગર : સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો.


સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો..

સ્વચ્છ ભારત અભિયાન ના ભાગરૂપે સંતરામપુર તાલુકાના નસિંગપુર ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 24/09/2023 ને રવિવાર ના રોજ સ્વચ્છ ભારત અભિયાન ના ભાગરૂપે સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ભગવતી મિશન મંગલમ જુથ તથા ગુરૂ મિશન મંગલમ જુથ ની આશરે ૨૦ જેટલી બહેનોએ શાળા ખાતે આખી શાળાને સ્વચ્છ બનાવી હતી. તથા બાળકોને , ગામજનો ને તથા સ્કુલ શિક્ષક સ્ટાફગણ મિત્રો ને શાળાને સ્વચ્છ રાખવા પહેલ કરી હતી.

આ પ્રસંગે ભગવતી મિશન મંગલમ જુથના પ્રમુખ શ્રીમતિ વિમળાબહેને સ્થળ પર હાજર રહી જરૂરી માર્ગદશન પુરું પાડ્યું હતું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.