માળીયા હાટીના માં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી - At This Time

માળીયા હાટીના માં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી


માળીયા હાટીના માં પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિન નિમિત્તે માળીયા હાટીના ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વંદના બેન મકવાણા, રણજિત સિંહ યાદવ સહિતના મહાનુભવો તેમના પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના જીવન ચરિત્રનો મહિમા અને યોગદાન વિશે જણાવ્યું હતું કે તેઓ મહાન રાજનીતિજ્ઞ, પ્રખ્યાત લેખક, અંત્યોદયના પ્રણેતા, શ્રેષ્ઠ સંગઠન કર્તા, અને જનસેવા માટે હંમેશા તૈયાર રહેતા ભારતીય મૂલ્યો અને સિદ્ધાંતો માટે હંમેશા સંઘર્ષ કર્યો છે તેવા તેમના મહાન કાર્યો વિચારોને અનુલક્ષીને કાર્યકરોએ તેમના વિચારો મુજબ અને સિધ્ધાંતો મુજબ સંગઠન માટેના કાર્યોનું વિશે વક્તવ્ય આપ્યું હતું

માળીયા હાટીના તાલુકાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એમ પણ એમણે ઉમેર્યું હતું આ જન્મ જયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં તાલુકા પંચાયત અનિલભાઈ લાડાણી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, ઉપ પ્રમુખ રણજિત ભાઈ યાદવ, કારોબારી ચેરમેન રાજા ભાઈ પટાટ સહિત ના ભાજપના આગેવાનો કાર્યોકરો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.