જૂનાગઢ માહિતી ખાતામાંથી વયોનિવૃત અશ્વીન પટેલનું અભિવાદન કરતા સરદાર પટેલ કર્મચારી મંડળનાં હોદેદારો - At This Time

જૂનાગઢ માહિતી ખાતામાંથી વયોનિવૃત અશ્વીન પટેલનું અભિવાદન કરતા સરદાર પટેલ કર્મચારી મંડળનાં હોદેદારો


માહિતી ખાતામાંથી વયોનિવૃત અશ્વીન પટેલનું અભિવાદન કરતા સરદાર પટેલ કર્મચારી મંડળનાં હોદેદારો
ગુજરાત વિજ ઈજનેર એશોસિયેશનનાં જનરલ સેક્રેટરી પદે ચાર્જ સંભાળતા એચ.જી. વઘાસિયાને બીરદાવ્યા
જૂનાગઢ તા. ૮, ગુજરાત સરકારનાં માહિતી ખાતામાં પ્રચાલકનાં પદ પર રહી અવિરત ૩૭ વર્ષની દિર્ધકાલીન ફરજ પુર્ણ કરી વયોનિવૃત થયેલા અશ્વિન પટેલને સન્માનિત કરવા સાથે અભિવાદન પાઠવવા જૂનાગઢ શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં પ્રમુખશ્રી હરેશભાઇ વઘાસિયાનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં પ્રમુખ હરેશ વઘાસિયાએ સેવાનિવૃત અશ્વિન પટેલને નિરામયી જિવનની શુભકામના પાઠવી હતી. સરદાર ધામનાં જૂનાગઢ જિલ્લા તેજસ્વી યુવા કાર્યકર શ્રી પ્રકાશ ભંગડીયા અને કપિલ સુદાણીએ શ્રી અશ્વિન પટેલની સેવાક્ષેત્રે કામગિરીને બીરદાવી હતી. આ તકે પ્રવિણ ગજેરા, બાઘુ ડોબરીયા, જેન્તી વસોયા, ગોપાલ વાગડીયા, જેન્તી કાછડીયા, શૈલેષ ભુવા, મનસુખ કુંભાણી, સહિત કારોબારી સભ્યોએ પોતાનાં સંસ્મરણો સાથે અશ્વિનભાઇ પટેલને બિરદાવી કર્મચારી મંડળની સેવાકીય પ્રવૃતિ તરફ આવકાર્યા હતા. આ પ્રસંગે અશ્વીન પટેલે સન્માન પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે સેવા નિવૃત થવુ એ સેવાકાળનો એક ભાગ છે. આજે શ્રીસરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા લોક સેવાનાં કાર્યમાં સહયોગી બનવા અભીવાદીત કર્યા એ બદલ ઋણાનુભાવવ્યક્ત કર્યો હતો. અને ગુજરાત વિજ ઈજનેર એશોસીયેશન એટલે કે જીબીયાનાં રાજ્ય કક્ષાનાં ૬૦૦૦ ઈજનેરોનાં સંગઠન જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત એચ.જી વધાસિયાને સૈા કર્મચારી મંડળનાં સભ્યો વતી શુભકામનાં પાઠવી હતી.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.