હર ઘર તિરંગા' અભિયાન ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોસ્ટમેન પાસેથી ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે - At This Time

હર ઘર તિરંગા’ અભિયાન ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોસ્ટમેન પાસેથી ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે


આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરાશે. પ્રત્યેક નાગરિક પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઉત્સુક છે ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં નાગરિકો નજીકની કોઈપણ પોસ્ટ ઑફિસ પરથી રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે. દરેક પોસ્ટ ઑફિસ પરથી માત્ર રૂ. ૨૫ ની કિંમતે રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે.નાગરિકોની સરળતા માટે પોસ્ટ વિભાગે નવતર પહેલ કરી છે. ઘેર ઘેર ટપાલ આપવા આવતા પોસ્ટમેન પાસેથી નાગરિકો ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે. એટલું જ નહીં, epostoffice.gov.in વેબસાઈટ પર પણ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.