આટકોટ ગામે સ્કૂલમાં ઇન્સ્પાયર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ - At This Time

આટકોટ ગામે સ્કૂલમાં ઇન્સ્પાયર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ


તા.03-02-2023ને શુક્રવારના રોજ આટકોટની શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં ધો.10 અને 12 માટે ઇન્સપાયર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સેમિનારના મોટિવેશનલ સ્પીકર શ્રી દિપકભાઇ છબીલદાસ ગોંડલીયા દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને ઓડિયો – વિડીયો વિઝ્યુલાઇઝેશન દ્વારા ગુજરાત બોર્ડની એસ.એસ.સી અને એચ.એસ.સી પરીક્ષામાં ડંકો વગાડીને પરીવાર , શાળા તથા સમાજનું નામ કેવી રીતે ઉજ્જવળ કરી શકાય તેની ખૂબ જ ઇફેકટીવ સ્પીચ આપી હતી. વિદ્યાર્થી પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપે કોઇ ડરના રાખે જીત તેમની મુઠ્ઠીમાં છે તેવો પડકાર ફેકયો હતો. આ અવિસ્મરણીય પ્રસંગમા શાળના ડિરેકટરશ્રી સંજયભાઇ એચ,શેખલીયા, સંચાલકશ્રી બીપીનભાઇ એચ.શેખલીયા અને એચ.ઓ.ડી મેડમશ્રી ચેતાનાબેન તથા વૈશાલીબેનની દેખરેખમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.