થાનગઢ જુના સુરજ દેવળ મંદિર પાસે ખનિજ ખોદકામ બંધ કરાવવા મુખ્યમંત્રી કાર્યાલય થી આદેશ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hvd24oa9ednjiha2/" left="-10"]

થાનગઢ જુના સુરજ દેવળ મંદિર પાસે ખનિજ ખોદકામ બંધ કરાવવા મુખ્યમંત્રી કાર્યાલય થી આદેશ


*જુના સુરજ દેવળ મંદિર પાસે ચાલતાં ખનીજ ખોદકામ ની કામગીરી ની તટસ્થ તપાસ કરવા થયેલ રજુઆત*

*મુખ્યમંત્રી કાર્યાલય થી તપાસ માટે હુકમ કરતાં અધિકારીઓ માં ફફડાટ*

થાનગઢ પાસે સોનગઢ ખાતે આવેલા ઐતિહાસિક ધરોહર સ્થળ એવાં જુના સુરજ દેવળ મંદિર આજુબાજુ ચારેય દિશામાં ચાલતાં ખનિજ ખોદકામ બાબતે અરજદાર દ્વારા રાજ્યપાલ શ્રી અને પુરાતત્વ વિભાગ રાજકોટ અને કલેકટર સુરેન્દ્રનગર જીલ્લા ને રજુઆત કરવામાં આવી હતી ત્યારબાદ તંત્ર હરકતમાં આવી જુના સુરજ દેવળ મંદિર ખાતે ચાલતાં ખનીજ ખોદકામ પર દરોડા પાડયા હતા અને ખોદકામ નું માપણી કરી હતી ગત ૭-૧-૨૦૨૨ નાં દિવસે આ બાબતે અરજદારે થાનગઢ મામલતદાર શ્રી નો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતુ કે ચાર શખ્સ સામે ગુનો નોંધવામાં આવેલ અને મશિનરી જપ્ત કરવામાં આવેલ છે હાલ ખોદકામ ની માપણી ચાલુ છે ત્યારબાદ દંડ ફટકારવામાં આવશે તેને આજે એક માસ જેવો સમય થયો હતો બાદમાં ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર જણાવ્યું હતું કે કોઈ મશીનરી જપ્ત કરવામાં આવી નથી ખોદકામ કરનાર કોઈ શખ્સો નાં નામ નથી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે અરજદાર ને મામલતદાર દ્વારા ખોટી માહિતીઓ આપવામાં આવી હતી અને ગેરમાર્ગે દોરવા માં આવેલ હતાં ત્યારે અરજદાર દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આ કામગીરી માં રહેલા તમામ અધિકારીઓ સામે તપાસ કરવામાં આવે અને ખનીજ ખોદકામ કરતાં શખ્સો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તે બાબતે અરજી કરી હતી જેમાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કલેકટર કચેરી સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર ને આદેશ કરવામાં આવ્યો હતો કે તાત્કાલિક અસરથી આ બાબતે તપાસ કરી રીપોર્ટ કરવામાં આવે અને સંડોવાયેલા સામે કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યું હતું હાલ જુના સુરજ દેવળ મંદિર ખાતે ખનીજ માફીયાઓ દ્વારા ફરી ખનન વહન ધમધમી રહ્યું છે અને ખનિજ માફીયાઓ ઉપર મામલતદાર થાનગઢ અને ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર નાં ચારેય હાથ હોય તેમ મોટાપ્રમાણમાં ખનિજ ચોરી ચાલુ છે આ મંદિર પુરાતત્વ વિભાગ રાજકોટ હેઠળ આરક્ષિત સ્મારક ધરાવે છે જેનાં થી ૫૦૦ મીટર સુધી કોઈ ખોદકામ થ‌ઈ શકે જ નહીં કાયદાકીય જોગવાઈ છે અને આ મંદિર આજુબાજુ કોલસો કાર્બોસેલ ફાયરકલે સિલીકાસ્ટોન જેવાં ખનીજ સંપતિ મળી આવે છે અને વિસ્ફોટ પદાર્થો દ્વારા ધડાકા કરવામાં આવે છે ત્યારે મંદિર ને મોટું નુક્સાન થયું છે ત્યારે અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ હતી તેમછતાં કેમ બંધ કરવામાં આવી? કેમ કોઈ મશીનરી જપ્ત કરવામાં ન આવી? કેમ ખનીજ ખોદકામ ની માપણી ફક્ત ૨૦% જ કરવામાં આવી? જેવાં પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ફરી આ ચાલું ખોદકામ શા માટે બંધ કરવામાં આવતું નથી તેની સામે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા કલેકટર કચેરી ને આ બાબતે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે નાં આદેશ આપ્યો છે

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]