લીલીયા મોટા ની ગટર મુદ્દે આપ નેતા ભરત નાકરાણી આકરા પાણીએ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/h0kvyhvyuxz09j16/" left="-10"]

લીલીયા મોટા ની ગટર મુદ્દે આપ નેતા ભરત નાકરાણી આકરા પાણીએ


સાવર કુંડલા ના આમ આદમી પાર્ટી ના નેતા ભરત નાકરાણી લીલીયા ના પ્રવાસ દરમ્યાન એમના ધ્યાને આવતી લીલીયા વેપારીઓ અને જનતા ની માથા ના દુખાવા સમાન ગટર સમસ્યા ત્યારે ભરતભાઈ નાકરાણી દ્વારા સ્થાનિક ધારાસભ્ય ની કામગીરી ને લઈ ને સવાલો ઉઠાવાયા છે કે લીલીયાનાં ધારાસભ્ય દરેક કામમાં નિષ્ફળ એવું ચોક્કસપણે કહી શકાય. કારણકે લીલીયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર રોડ રસ્તા ઉપર ગટરગંગા વહી રહી છે, અનેક વેપારીઓ અને નાનામોટા ધંધાર્થીઓ ખુબજ હાલાકી ભોગવવી રહયા છે, ત્યારે સાવરકુંડલા આમ આદમી પાર્ટી નાં લોકપ્રિય નેતા ભરતભાઈ નાકરાણી લીલીયા લોકોનાં વ્હારે આવ્યા અને જવાબદાર અધિકારીઓ અને ત્યાંના કહેવાતાં નેતા ની સામે આકરાં પાણીએ આવ્યા છે, જો પ્રશ્નો નો યોગ્ય ઉકેલ આવનારા દિવસોમાં નહીં આવેતો ભરતભાઈ નાકરાણી દ્વારા આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]