સંતરામપુર નગરમાં ચાલતી આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટના નવીન મકાનનું શિક્ષણ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન - At This Time

સંતરામપુર નગરમાં ચાલતી આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટના નવીન મકાનનું શિક્ષણ મંત્રીના હસ્તે ઉદ્ઘાટન


સંતરામપુર નગરમાં ચાલતી આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટના નવીન મકાનના શુભ ઉદ્ઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી . પ્રો. ડૉ. કુંબેરભાઈ ડીંડોર , સંતરામપુર પોલીસ સ્ટેશન પી.આઇ. કે કે ડિંડોર તથા દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો, નગરજનો, આશ્રયના લાભાર્થીઓ સૌ આ નવીન બનેલ મકાન નાં ઉદ્ધાટન નાં શુભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં .આશ્રય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા, નિરાધાર નિઃસહાય અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે તથા ફ્રી માં મેડિકલ સાધનો, ધાર્મિક પ્રવાસ, તેમજ કપડા, વાસણ જેવી અનેક ચીજ વસ્તુઓ પણ જરુરીયાત મંદ લાભાર્થીઓને અવાર-નવાર આપવામાં આવે છે સંસ્થા દ્વારા કરવામાં આવતા આવા સુંદર સેવાકીય કાર્ય બદલ સંસ્થાના પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિ મંત્રી સંદીપભાઈ શાહ, વિશાલભાઈ સોની, હરેશભાઈ બારીયા, પુનિતભાઈ ને તથા સંસ્થા દ્વારા કરાતી માનવસેવાની આવી પ્રવૃત્તિઓ ને બિરદાવવામાં આવી હતી.. સંસ્થાને ઊપસ્થિત મંત્રી અને મહેમાનો દ્વારા આવનારા વર્ષોમાં પણ આ સંસ્થા અવિરત ચાલતી રહે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી.

રીપોર્ટ‌.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.