બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેટલાંક ગામોમાં કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂંક માટે કામ ચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂંક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ - At This Time

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેટલાંક ગામોમાં કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂંક માટે કામ ચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂંક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ


લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૩૦ મી સપ્ટેમ્બર,૨૦૨૨ સુધીમાં નિયત
ફોર્મમા અરજી કરી મામલતદાર કચેરી, ગઢડા ખાતે રજુ કરવાની રહેશે

તા.૧૬ : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બોટાદ હસ્તકની મોજે ગઢડા, તા.ગઢડાની પશ્વિમ ગઢાળી (કેંદ્ર નં-૪) ચિરોડા (કેન્દ્ર નં-૫), લીંબાળા (કેન્દ્ર નં-૧૨), મોટા ઉમરડા (કેન્દ્ર નં-૧૮),પાટણા (કેન્દ્ર નં-૨૨), ભંડારીયા (કેંદ્ર નં-૨૩) રણિયાળા (કેંદ્ર નં:૨૮),સીતાપર (કેંદ્ર નં:૩૪),ઇંગોરાળા(ખા) (કેંદ્ર નં-૪૬),તતાણા (કેંદ્ર નં-૬૦), વિરડી (કેંદ્ર નં-૬૫), વાવડી (કેંદ્રનં-૭૧) નવા રાજપીપળા (કેંદ્ર નં-૯૧) પ્રાથમિક શાળા તા.ગઢડા, જિ.બોટાદ માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂંક માટે વર્ષ ૨૦૨૨-૨૩ ના શૈક્ષણિક વર્ષ માટે કામ ચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂંક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

ઉમેદવાર એસ.એસ.સી પાસ હોય તેવી વ્યકિતની પસંદગી કરવામાં આવશે. જેઓની લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ તથા સ્થાનિક ગામનો રહીશ હોવો જોઈએ વિધવા તેમજ ત્યકતા બહેનોને અગ્રતા આપવામાં આવશે નિયત અરજી પત્રક મામલતદાર કચેરી ગઢડા ખાતેથી કચેરી સમય દરમિયાન વિના મૂલ્યે મેળવી શકાશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૩૦/૦૯/૨૦૨૨ સુધીમાં નિયત ફોર્મમા અરજી કરી મામલતદાર કચેરી, ગઢડા ખાતે જન્મનું પ્રમાણપત્ર/શાળાનું છોડ્યાનું પ્રમાણપત્ર, એસ.એસ.સી.પાસ કર્યાનું પ્રમાણપત્ર તથા છેલ્લી શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ તથા આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, એક પાસ પોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ, વિધવા અને ત્યકતા હોવાના અધિકૃત અધિકારીના પ્રમાણપત્ર અથવા પુરાવા, અન્ય કોઈ લાયકાત અથવા અનુભવ ધરાવતા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર તેમજ બેંક પાસબુકની નકલ પ્રમાણિત કરી આ સાથે રજુ કરવાની રહેશે.

આ ઉપરાંત શિક્ષણ વિભાગની જોગવાઈઓ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તથા તે મુજબ અમલવારી કરવામાં આવશે. મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર ઉપર મળેલ આ નિમણૂંક સરકારી કે પંચાયત સેવામાં ગણાશે નહી અને આ નિમણૂંક ખંડ સમયની ઉચ્ચક વેતનવાળી હંગામી અને વગર નોટીસે છુટા કરી શકાશે તેવી રહેશે. લાયકાત નહી ધરાવતા ઉમેદાવારોએ અરજી કરવી નહી તેમજ નિમણૂક અંગેના તમામ અધિકાર અત્રેને અબાધિત છે તેમ ગઢડા મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.