સેક્ટર 6 અને 29 ખાતે બનાવેલાં આવાસોનું કામ પૂર્ણ: ફેબ્રુ.ના અંત સુધીમાં કર્મીઓને વધુ 560 આવાસ ફાળવી દેવાશે - At This Time

સેક્ટર 6 અને 29 ખાતે બનાવેલાં આવાસોનું કામ પૂર્ણ: ફેબ્રુ.ના અંત સુધીમાં કર્મીઓને વધુ 560 આવાસ ફાળવી દેવાશે


C શેર

કર્મચારીઓ માટે 5 દશક પહેલાં બનાવેલાં સરકારી આવાસોની આવરદાં પૂર્ણ થયેલી જોવાં મળી છે. જેથી કરીને તંત્ર દ્વારા જૂનાં આવાસોને તોડીને નવા આવાસો બનાવવાનું કામ શરૂ કરવામાં આવેલ છે, તબક્કાવાર તંત્ર દ્વારા જૂના આવાસો તોડીને વિવિધ સેક્ટરની ખુલ્લી કરાયેલી જમીન પર આવાસોનું નિર્માણ કાર્ય હાથ ધરાયેલું છે, ત્યારે સેક્ટર 6 અને 29 ખાતે બનાવવામાં આવેલાં સી અને છ ટાઈપના કુલ 560 આવાસોના નિર્માણની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જેથી કરીને ફેબ્રુઆરી માસના અંત સુધીમાં 560 સરકારી કર્મચારીઓને પાટનગર યોજના વિભાગ દ્વારા આવાસની ફાળવણી કરવામાં આવશે. જેથી કરીને તંત્રને માથે જોવાં મળેલ વેઈટીંગનો ભાર પણ કંઈ અંશે હળવો થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.