તલાટીઓની કાલથી હડતાલ, રાજકોટની 591 ગ્રામપંચાયતોમાં વહીવટી કામગીરી ખોરવાશે - At This Time

તલાટીઓની કાલથી હડતાલ, રાજકોટની 591 ગ્રામપંચાયતોમાં વહીવટી કામગીરી ખોરવાશે


વણઉકેલ્યા પ્રશ્નોને લઇને ફુંકાયું હડતાલનું રણશિંગું

​​​​​​​​​​​​​​રાજ્યના 8500 તલાટી કામ નહીં કરે, 18,700 ગામમાં થશે અસર

રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ દ્વારા વર્ષોથી પડતર માગણીઓને લઇને આગામી તા.2જી ઓગસ્ટ એટલે કે, મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલનું રણશિંગું ફુંકાયું છે ત્યારે આ હડતાલમાં રાજકોટ જિલ્લાના 370 તલાટીઓ પણ જોડાવાના હોય જિલ્લાની 591 ગ્રામપંચાયતોમાં ખેડૂતોની દાખલા કઢાવવા સહિતની સરકારી વહીવટી પ્રક્રિયા ખોરવાઇ જશે તેવો નિર્દેશ તલાટી મંડળ દ્વારા આપવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.