ઈસનપુર ના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં દિવાળી નિમિત્તે મીઠાઈ નું વિતરણ કરાયું. - At This Time

ઈસનપુર ના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ ના સાનિધ્ય માં દિવાળી નિમિત્તે મીઠાઈ નું વિતરણ કરાયું.


તારીખ ૧૨ નવેમ્બર ૨૦૨૩ રવીવાર ના રોજ સાંજે ૫ : ૩૦ કલાકે ઈસનપુર માં આવેલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી શક્તિ ગ્રૂપ ની ટીમ અને શ્રી સુનીલભાઈ પટેલ ના સહયોગ થી શ્રી સિધ્ધેશ્વર મંદિર ના સાનિધ્ય માં દિવાળી ના પાવન પર્વ નિમત્તે આશરે ૩૫૦ જરૂરિયતમંદ પરિવારને અંદાજે ૩૫૦ જેટલા મીઠાઈ ના પેકેટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું,

આ પ્રસંગે મણિનગર વિધાનસભા ના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ તથા અમદાવાદ શહેર ના પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહ તથા ઈસનપુર વોર્ડ ના કાઉન્સિલર મૌલીકભાઈ પટેલ,મોનાબેન રાવલ તથા ગીતાબેન સોલંકી તથા સંગઠન ના સભ્યો, કાર્યકર્તાઓ તથા મંદીર ના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો,

શ્રી શક્તિ ગ્રૂપ તરફથી નૂતન વર્ષાઅભિનંદન.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.