મનપાના પદાધિકારીઓની કાર પરત લઈ લેવાઈ, ચેમ્બર સહિતની સુવિધાનો ઉપયોગ નહિ કરી શકે - At This Time

મનપાના પદાધિકારીઓની કાર પરત લઈ લેવાઈ, ચેમ્બર સહિતની સુવિધાનો ઉપયોગ નહિ કરી શકે


ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. હવે મનપાના પદાધિકારીઓની કાર જમા લઈ લેવામાં આવી છે. તેમજ ચેમ્બર સહિતની અન્ય સુવિધાનો ઉપયોગ નહિ કરી શકે. આ સિવાય સવા મહિનો હવે નવા કામને બ્રેક લાગશે. આ સિવાય જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું.

જેમાં હથિયાર પરવાનેદારોએ પરવાના હેઠળના હથિયારો જમા કરાવવાના રહેશે. સરકારી, અર્ધસરકારી, આરામગૃહો, વિશ્રામગૃહ, સરકારી રહેણાકોની સાથે જોડાયેલા આંગણ, કમ્પાઉન્ડ સહિત કોઈ રાજકીય પક્ષના હોદ્દેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટોએ રાજકીય હેતુસર કે ચૂંટણી પ્રસાર માટે તેનો ઉપયોગ કરી શકશે નહિ. ખાનગી-જાહેર મિલકતનો બગાડ કરી નહી શકે. સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી પાસે વાહન રજિસ્ટ્રાર કરાવ્યા વિના ચૂંટણીના કામે વાપરી નહિ શકે તેમજ ખર્ચ ઉમેદવારે જાતે કરવાના રહેશે. સરઘસ નહિ કાઢવા, સભા નહીં ભરવા, સહિત કુલ 10 મુદ્દા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.