આગામી ૨૧મી ઓક્ટોબરે એ લુણાવાડા ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા ભાગ -૨ કાર્યક્રમ યોજાશે - At This Time

આગામી ૨૧મી ઓક્ટોબરે એ લુણાવાડા ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા ભાગ -૨ કાર્યક્રમ યોજાશે


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વાસ થી વિકાસ યાત્રા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં તા.૨૧ ઑક્ટોમ્બર ૨૦૨૨ના શુક્રવાર સવારે ૧૦ કલાકે ૪૨ પાટીદાર સમાજઘર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના મહાનુભાવો સ્થાનિક પદાધિકારીઓના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
તે સંદર્ભમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી સી વી લટાના અધ્યક્ષતામાં કાર્યક્રમના આયોજન અમલવારી અંગે બેઠક યોજાઇ હતી. સંબંધિત વિભાગોને કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ સ્થાનિક કક્ષાનો સવારે ૧૦ થી ૧૧ કલાકે યોજાશે. આ બેઠકમાં મંડપ, પાણી, વીજળી, બેઠક વ્યવસ્થા, ક્રાઉડ મેનેજમેન્ટ,સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રેઝન્ટેશન, મુવી વગેરે બાબતો અંગે સમગ્ર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી,ડી વાય એસ પી,ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી,આરોગ્ય અધિકારીશ્રી અનેતાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.