સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના સંતો દ્વારા કડકતી ઠંડીમાં સંતો તથા ફૂટપાથ પર રાતવાસો કરતાં લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. - At This Time

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના સંતો દ્વારા કડકતી ઠંડીમાં સંતો તથા ફૂટપાથ પર રાતવાસો કરતાં લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.


શિયાળાની ઠંડીમાં ઘણી જગ્યા પર ગરીબ મજૂરી વર્ગનાં લોકો ફૂટ પાથ પર સુતા હોય છે, ત્યારે અનેક સંસ્થા દ્વારા નિ:સ્વાર્થ ભાવે ગરમ કપડાં વિતરણ કરતા હોય છે, ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહનો સંદેશ આપ્યો છે ત્યારે શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.17-01-2024ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તરફથી આવા સંતો અને લોકોને ઠંડીમાં રક્ષણ મળે તે હેતુથી ગરમ ધાબળાઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.