અટલ સરોવરમાં ડૂબી જતાં ઇન્દિરાનગરના યુવાનનું મોત - At This Time

અટલ સરોવરમાં ડૂબી જતાં ઇન્દિરાનગરના યુવાનનું મોત


શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર પરશુરામ મંદિર નજીક આવેલા અટલ સરોવરમાં નાહવા પડેલા 22 વર્ષીય યુવાનોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. બનાવના પગલે યુવાનના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૈયાધાર પાસે આવેલા ઇન્દિરાનગરમાં રહેતો મયુર જેન્તીભાઈ પારઘી(ઉ.વ 22) નામનો યુવાન ગઈકાલે બપોરના સમયે તેના મિત્રને અટલ સરોવર પાસે નાહવા જવાનું કહીને નીકળ્યો હતો. મિત્રએ કહ્યું હતું કે તું ત્યાં પહોંચ હું થોડીવાર બાદ આવીશ.બાદમાં યુવાન અહીં અટલ સરોવરમાં નહાતી વેળાએ તળાવના ઊંડા પાણીમાં ગરક થઈ જતા તેનું મોત થયું હતું. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે બનાવસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.યુવાન બે ભાઈના પરિવારમાં નાનો હોવાનું અને કલર કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.