દામનગર ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની તબીબી સેવા બુધવારે નેત્રયજ્ઞ યોજાશે
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ની તબીબી સેવા એ તા.૨૫/૧/૨૩ ને બુધવારે સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ કલાક સુધી નેત્રયજ્ઞ યોજાશે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ સ્થિત હોસ્પિટલ ની સેવા એ આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ વિના મૂલ્યે કરી આપશે મોતિયા ના દર્દી નારાયણો ને વિના મૂલ્યે નેત્રમણી આરોપણ સાથે દવા ચશ્માં ટીપાં રહેવા જમવા ઉપરાંત દર્દી ઓને લાવવા લઈ જવા અને મફત ધાબળો અર્પણ કરી આપતા આ નેત્રયજ્ઞ માં અતિ અદ્યતન ટેનોસેવી સાધનો સાથે નિષ્ણાંત તબીબી નેત્રમણી આરોપણ સાથે મોતિયા ના ઓપરેશન કરી આપશે દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ આ સેવાયજ્ઞ નો લાભ લેવા સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે યોજાનાર નેત્રયજ્ઞ નો લાભ લેવા અનુરોધ કરાયો છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]