બાલાસિનોર યોદ્ધા ગ્રુપ દ્વારા અગ્નિવીરોનું સન્માન કરવામાં આવ્યું - At This Time

બાલાસિનોર યોદ્ધા ગ્રુપ દ્વારા અગ્નિવીરોનું સન્માન કરવામાં આવ્યું


બાલાસિનોર યોદ્ધા ગ્રુપ દ્વારા આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી આવનાર પેહલી અગ્નિવીર બેચ અને હાલ જે મીત્રો બીજી અગ્નિવીર બેચમાં સિલેક્ટ થયા છે. તેવા જવાનો માટે સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં યોદ્ધા ગ્રુપ બાલાસિનોરમાં અવિનાશ ભાઈ દ્વારા આર્મી નાં જવાનો માટે ને ડિફેન્સ ની તૈયારી કરવા માંગે છે તે દરેક જવાનો ને વિનામૂલ્ય તાલિમ અને ક્લાસ આપી રહયા છે. ટ્રેનિંગ પૂર્ણ કરનાર નિસર્ગભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ સોલંકી, અર્જુનભાઈ ભોઈ નુ સ્વાગત કરવામા આવ્યુ હતુ. તેમજ જે મિત્રો બીજી અગ્નિવીર બેચમાં જનાર જીતભાઈ, અક્ષયભાઈ, નીતેશભાઈ, કરણભાઈ, મેહુલભાઈ, અજયભાઈ, હિતેશભાઈ, વિમલભાઇ, જિમ્મીદરજી, પ્રકાશભાઈ(BSF) માં જનાર જવાનોનો પણ જુસ્સામાં વધારો કરવામા આવ્યો હતો.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.