આજે સાંજે 6કલાકે સિહોર પોલીસ અધિકારી ની બદલી થતા વેપારીઓ તથા ગ્રામજનો દ્વારા બદલી રોકાવવા ટાઉન હોલ ખાતે મીટીંગ યોજાઇ - At This Time

આજે સાંજે 6કલાકે સિહોર પોલીસ અધિકારી ની બદલી થતા વેપારીઓ તથા ગ્રામજનો દ્વારા બદલી રોકાવવા ટાઉન હોલ ખાતે મીટીંગ યોજાઇ


તાજેતરમાં સિહોર ના યુવા અને સિહોરના નગરજનો, વેપારીઓ સહિત માતાઓ
બહેનોને નીડરતાનો પાઠ ભણાવી રહેલ પી.આઈ ભરવાડની બદલી તળાજા
સી.પી.આઈ તરીકે થતા સિહોર માં નગરજનોમાં કચવાટ પી.આઈ. ભરવાડના
સમર્થનમાં નગરશ્રેષ્ઠીઓની મીટિંગ મળી હતી અને આ બદલી અટકાવવા ઉચ્ચ
કક્ષાએ રજૂઆતો કરવા અને બદલી અટકાવવા એકત્રિત થયા હતા
ભૂતકાળમાં પીએસઆઈ યાદવ સાહેબના સમર્થનમાં આવી એકતા દેખાય હતી ત્યારે
આજે ફરી એ એકતાના દર્શન થયા છે તેવું પ્રાસંગિક પ્રવચનમાં મિલનભાઈ કુવાડિયા
દ્વારા જણાવાયું હતું.
સિહોરના કોઈ નગરજનો કે ગ્રામ્ય પંથકમાં પણ અત્યાર સુધીમાં શ્રેષ્ઠ કામગીરી
છે સિહોર ના લોકો પાસેથી એક સારા અધિકારી હટાવવા વ્યાજબી ન હોય તેઓ નો
ત્રણ વર્ષ નો સમય પૂર્ણ થયોન હોય તો આ અંગે ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ
મંત્રીઓને આગામી સમયમાં મળી આ બદલી રોકાવવા પ્રયાસ કરશું. અને શિહોર શહેર મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.