જસદણમા શનિવારના રોજ આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પુસ્તક મેળાનું આયોજન થશે - At This Time

જસદણમા શનિવારના રોજ આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પુસ્તક મેળાનું આયોજન થશે


જસદણમા શનિવારના રોજ આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પુસ્તક મેળાનું આયોજન થશે

જસદણમાં આવનાર શનિવારના રોજ તેમજ રવિવાર તારીખ 6 જાન્યુઆરી અને 7 જાન્યુઆરીના રોજ સવારે 9:00 વાગ્યાથી સાંજે 6 વાગ્યે જસદણની મેઇન બજારમાં ડીએસવીકે હાઈસ્કૂલ ખાતે ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવશે જેમાં આ મેળાનું આયોજન કરવાનો હેતુ વાંચન અને વિચારોથી રાષ્ટ્ર નિર્માણનો પ્રયાસ તેમજ સદવિચાર માટે વધુમાં વધુ પ્રચાર થાય તેવા હેતુ સાથે આદર્શ તરીકે દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તે લોકોનું કહેવું છે કે આપણે પુસ્તકની નહીં તેના કાગળ અને છપાઈ ની કિંમત જ ચૂકવતા હોઈએ છીએ, તેમજ આ મેળામાં 70% સુધીનું વળતર પણ આપવામાં આવશે જે સ્વામી વિવેકાનંદજીની 162 મી જન્મ જયંતી નિમિત્તે જસદણ ખાતે પુસ્તક મેળાનું આયોજન થશે. તેમજ સમગ્ર ગ્રુપ દ્વારા જસદણ આટકોટ તેમજ આસપાસ વિસ્તારના નગરજનો શહેરીજનોને આ પુસ્તક મેળામાં આવવા માટે અનુરોધ કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.