ચોટીલા જવાનું કહી નીકળેલો 16 વર્ષનો અભિષેક ગુમ: અપહરણની ફરીયાદ નોંધાઈ - At This Time

ચોટીલા જવાનું કહી નીકળેલો 16 વર્ષનો અભિષેક ગુમ: અપહરણની ફરીયાદ નોંધાઈ


વિરાણી આઘાટ વિસ્તારમાંથી ચોટીલા જવાનું કહી નીકળેલો 16 વર્ષનો અભિષેક ગુમ થતાં ભક્તિનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે વિરાણી આઘાટ વિસ્તારમાં રહેતાં શ્રમિકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમનો 16 વર્ષનો નાનો ભાઈ અખિલેશ તેની સાથે રહેતો હતો.ગઇ તા.11 ના સવારના સમયે અખીલેશે તેની સાથે રહેતાં માસીના દીકરાને કહેલ કે, મારે ચોટીલા દર્શને જવુ છે તારે સાથે આવવુ હોય તો આવ જેથી તેને કહેલ કે, બુધવારે રજા રહેતી હોય આપણે બુધવારે જઇશું પરંતુ તેને આવતીકાલ મારે ઉતરપ્રદેશ વતનમાં જવાની બસની ટીકીટ છે.
તો હું જઇ આવુ તેમ કહીને તે ચોટીલા જવા નીકળેલ અને કહેલ કે, હું સાંજે પાછો આવી જઇશ. પરંતુ સાંજના સાડા પાંચ વાગ્યા સુધી પરત નહી આવતા શેષરાજને વાત કરતા તેણે જણાવેલ કે,તે ચોટીલા જવાનુ છે તેમ કહીને સવારના દસ વાગ્યે ગયેલ છે. બાદમાં તપાસ કરતાં તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. જેથી ફરિયાદીના સગીર ભાઈનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી સગીરની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.