રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાત લેતા તાલુકા વિકાસ અધિકારી સાહેબ - At This Time

રૈયોલી ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાત લેતા તાલુકા વિકાસ અધિકારી સાહેબ


બાલાસિનોર તાલુકાના રૈયેલી ગામે આવેલ ડાયનાસોર ફોસિલ પાર્કની મુલાકાત લેતા તાલુકા વિકાસ અધિકારી સાથે રૈયોલી ગ્રામ પંચાયત સરપંચ શ્રી ના પ્રતિનિધિ કે કે વણકર પૂર્વ સરપંચ ગુલાબસિંહ પત્રકાર છત્રસિંહ સાથે આવનાર વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને ચર્ચા વિચારણાઓ કરી અને તટસ્થ અને ન્યાયીચૂંટણી યોજાઈ તેવી આશા વ્યક્ત કરતા તાલુકા વિકાસ અધિકારી સાહેબ
રૈયૂલી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભામાં ચૂંટણી બહિષ્કાર અંગે કરાયેલ ઠરાવ અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી સરપંચ શ્રી ના પ્રતિનિધિ કે કે વણકર ને પુછતા જણાવ્યું હતું કે ગ્રામજનોની એસટીની માગણી હોય અને એસટી અનિયમિત હોય એસટી બસ નિયમિત થાય અને બાયડ પાવાગઢ વાયા ડાયનાસોર પાર્ક રૈયોલી તેમજ માનગઢ ગાંધીનગર વાયા ડાયનાસોર પાર્ક એસટી બસ ચાલુ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ હતી જે તે ડેપો મેનેજર એ હૈયાધારણ આપતો કોઈ પણ પ્રકારનું ચૂંટણી બહેશકારનું કારણ રહેતું નથી અને મતદાન કરવા માટે દરેક ગામજનો ને અનુરોધ કર્યો હતો ત્યારે તાલુકા વિકાસ અધિકારી શ્રી એ ખુશી વ્યક્ત કરી હતી અને દરેક ગ્રામજનોનો આભાર માન્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.