બરવાળાની ખારો વર્ગ પ્રાથમિક શાળા ખાતે ખાલી પડેલી કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવા બરવાળા મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ - At This Time

બરવાળાની ખારો વર્ગ પ્રાથમિક શાળા ખાતે ખાલી પડેલી કેન્દ્ર સંચાલકની જગ્યા ભરવા બરવાળા મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ


જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, બોટાદ હસ્તકની બરવાળાની ખારો વર્ગ પ્રાથમિક શાળામાં ચાલતાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર નં.૨૮ માટે કેન્દ્ર સંચાલકની ખંડ સમયની નિમણૂંક માટે સને ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષ માટે કામ ચલાઉ ધોરણે માનદ વેતનથી નિમણૂંક આપવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે ઉમેદવાર એસ.એસ.સી પાસ હોય તેવી વ્યક્તિની પસંદગી કરવામાં આવશે જેઓની લઘુતમ વય મર્યાદા ૨૦ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઇએ તથા સ્થાનિક ગામનો રહીશ હોવો જોઇએ. વિધવા તેમજ ત્યકતા બહેનોને અગ્રતા આપવામાં આવશે નિયત અરજી પત્રક મામલતદાર કચેરી-બરવાળા ખાતેથી કચેરી સમય દરમિયાન વિના મુલ્યે મેળવી શકાશે લાયકાત ધરાવતાં ઉમેદવારોએ તા.૦૭/૦૩/૨૦૨૪ સુધીમાં નિયત ફોર્મમાં અરજી કરી મામલતદાર કચેરી, બરવાળા ખાતે જન્મનું પ્રમાણપત્ર/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એસ.એસ.સી પાસ કર્યાનું પ્રમાણપત્ર તથા છેલ્લી શૈક્ષણિક લાયકાતનુ પ્રમાણપત્ર,રેશનકાર્ડ,ચુંટણીકાર્ડ તથા આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર,એક પાસ પોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ,વિધવા અને ત્યક્તા હોવાના અધિકૃત અધિકારીના પ્રમાણપત્ર અથવા પુરાવા, અન્ય કોઇ લાયકાત અથવા અનુભવ ધરાવતા હોય તો તે અંગેનુ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, બી.પી.એલમાં સમાવિષ્ટ થતા હોય તો સક્ષમ સત્તાધિકારીનો બી.પી.એલ સ્કોર અંગેનો દાખલો, ગુનો નોંધાયેલ ન હોવા અંગેનું પોલીસ પ્રમાણપત્ર અને સારી ચાલ ચલગત ધરાવતા અંગેનો દાખલો (ઉક્ત તમામ પ્રમાણપત્ર તથા આધાર-પુરાવાની સ્વપ્રમાણિત નકલ) રજૂ કરવાની રહેશે શિક્ષણ વિભાગની જોગવાઇઓ મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તથા તે મુજબ અમલવારી કરવામાં આવશે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર ઉપર મળેલ આ નિમણૂંક સરકારી કે પંચાયત સેવામાં ગણાશે નહીં અને આ નિમણૂંક ખંડ સમયની ઉચ્ચક વેતનવાળી હંગામી અને વગર નોટીસે છુટા કરી શકાશે તેવી રહેશે નિમણુક અંગેના તમામ અધિકાર મામલતદાર કચેરી-બરવાળાને અબાધિત છે તેમ મામલતદાર,બરવાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.