માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ને "ફાઇન સ્ટાર" ના મોભી વધાસિયા પરિવાર તરફ થી અંદાજીત રૂા સવા ત્રણ કરોડ નું દર્દી કલ્યાણ માટે દાન - At This Time

માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ને “ફાઇન સ્ટાર” ના મોભી વધાસિયા પરિવાર તરફ થી અંદાજીત રૂા સવા ત્રણ કરોડ નું દર્દી કલ્યાણ માટે દાન


માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ને "ફાઇન સ્ટાર" ના મોભી વધાસિયા પરિવાર તરફ થી અંદાજીત રૂા સવા ત્રણ કરોડ નું દર્દી કલ્યાણ માટે દાન

ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં સણોસરા નાં વતની હાલ સુરત સ્થિત શ્રી વાલજીભાઈ હરજીભાઇ વઘાસિયા તથા તેમનાં પુત્ર શ્રી ભાવેશભાઈ વાલજીભાઈ વઘાસિયા હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. શ્રી વાલજીભાઇએ તેમનાં પુત્રો શ્રી ભરતભાઈ તથા શ્રી ભાવેશભાઈ નાં માલિકીની મું.સણોસરા (જી.ભાવનગર) ખાતેની સર્વે નં.૨૫૦ પૈકીની ખેતીની જમીન વિઘા-૧૯ -૫૦ કે જેની તેઓના કહેવા મુજબ આશરે બજાર કિંમત રૂા. ૨ (બે) કરોડ ની ગણાય તે ખેતીની જમીન ઉપરાંત તેઓની વ્યવસાયિક પેઢી “ફાઈન સ્ટાર કંપની'' મુંબઈ તરફ્થી હોસ્પિટલમાં નવનિર્મીત બિલ્ડીંગ માટે રૂા. ૧.૨૫ કરોડ (સવા કરોડ) મળીને તેઓએ કુલ અંદાજીત રૂા. ૩.૨૫ કરોડ (સવા ત્રણ કરોડ) ની માતબર ૨કમનું અનુદાન આપવાનો સંકલ્પ કરેલ છે. તે બદલ સમગ્ર ટ્રસ્ટીમંડળે તેઓશ્રીઓનો હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે. આ ઉદારદિલ દાતાશ્રીઓનું મંત્રી-બી.એલ.રાજપરા અને મેડીકલ સુપ્રિ. ડો. નટુભાઇ રાજપરા દ્વારા હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત' ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવેલ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.