રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયાના હસ્તે બોટાદના કાનીયાડ ખાતે જી.આઇ.ડી.સીનું ભૂમિપૂજન - At This Time

રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયાના હસ્તે બોટાદના કાનીયાડ ખાતે જી.આઇ.ડી.સીનું ભૂમિપૂજન


આજે બોટાદના કાનીયાડ ખાતે રાજયકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયાનાં હસ્તે જી.આઈ.ડી.સી.ની ભૂમિપૂજન વિધિ કરવામાં આવી હતી. બોટાદમાં આશરે ૧૦૦ એકર જમીનમાં જી.આઈ.ડી.સીનું નિર્માણ કરવામાં આવશે. આ જીઆઇડીસીના નિર્માણ થકી જિલ્લાનાં શહેરી વિસ્તારોમાં વસતાં લોકો તેમજ નાના-નાના ગામડાઓમાં રહેતા લોકોને પણ રોજગારીની વિશાળ તકો મળી રહેશે. આ પૂજનમાં ધારાસભ્યશ્રી સૌરભભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અરવિંદભાઈ વનાળિયા, જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમાર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.