ગલુડીયાને પથારીમાંથી નીચે ઉતારતા જ પુત્ર અને પુત્રવધુએ સાણસીના ઘા ઝીંક્યા - At This Time

ગલુડીયાને પથારીમાંથી નીચે ઉતારતા જ પુત્ર અને પુત્રવધુએ સાણસીના ઘા ઝીંક્યા


પત્નીના શ્વાન પ્રેમે યુવકને અંધળો કરી દિધો હોય તેમ આજી વસાહત વિસ્તારમાં લાલજીભાઈ નામના આઘેડે તેની પથારીમાં બેસેલા પુત્રવધુના શ્વાનને નીચે ઉતારતા જ ઉશ્કેરાયેલા કળિયુગી પુત્ર અને પુત્રવધુએ સાણસીના ઘા ઝીંકતા આધેડને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં.
બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી દંપતીની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે આજી વસાહતમાં ડો.આંબેડકર નગર મેઈન રોડ પર રહેતાં લાલજીભાઈ ભાણજીભાઈ ચાવડા (ઉ.વ.57) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજય ઉર્ફે વિલાસ લાલજી ચાવડા અને તેની પત્ની દેવલનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરે છે અને સંતાનમાં બે પુત્ર છે.
ગઇકાલે રાત્રીના સમયે તેઓ ઘરે હતાં ત્યારે તેમનો પુત્ર અજય તથા પુત્રવધુ દેવલ બંને પણ ઘરે હતા. તેઓની પુત્રવધુ દેવલે એક કુતરુ પાળેલ છે જે કુતરુ તેઓની પલંગ ઉપર પથારીમા બેઠું હતુ જેથી કુતરાને પલંગ ઉપરથી ભગાડતા પુત્ર અને પુત્રવધુ ઉશ્કેરાય ગયેલ અને બોલાચાલી કરવા લાગેલ તેમજ ગાળો આપી પુત્ર અજયે ઝપાઝપી કરી તેઓને પકડી લીધેલ હતાં.
દરમીયાન પુત્રવધુ દેવલે ઢીકાપાટુનો માર મારી હોલમા પડેલ લોખંડની સાણસી લઇ માથાના ભાગે સાણસીના બે ઘા ઝીંકી દિધા હતાં. તેઓને માથામાથી લોહી નીકળવા લાગતા બંનેએ તેમને મુકી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેઓને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપી દંપતીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.