રાવપુરા વિધાનસભાની તિરંગા યાત્રાના પ્રારંભે રાષ્ટ્રભક્તિના ગીતોની સાથે અચાનક સીએમ કેજરીવાલનું પ્રવચન પ્રસારિત થતા હોબાળો
વડોદરા, તા. 14 ઓગસ્ટ 2022 રવિવારવડોદરા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય આયોજિત તિરંગા યાત્રા ના પ્રારંભ સમય રાષ્ટ્રગીતોની સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું પ્રવચન પણ પ્રસારિત થતા ભાજપ મોરચે હોબાળો સર્જાયો હતો.વડોદરા શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોડે મોડેથી ધારાસભ્ય તિરંગા યાત્રા તેમના વિધાનસભા મતવિસ્તારમાં ફેરવી રહ્યા છે ત્યારે આજે મહેસુલ મંત્રી એ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં તિરંગા યાત્રાનો પ્રારંભ થયો કે દરમિયાન રાષ્ટ્રભક્તિના ગીતો થી વાતાવરણ રાષ્ટ્રમય બની ગયું હતું તે દરમિયાન ડીજે વગાડવા સમય અચાનક રાષ્ટ્રગીતોની સાથે સાથેના મુખ્યમંત્રી કેજરીવાલનું પણ પ્રવચન વાગવાનું શરૂ થયું હતું જેથી ભાજપ ના આગેવાનોમાં આશ્ચર્ય ફેલાયું હતું.વડોદરા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મહેસુલ મંત્રી આયોજિત તિરંગા યાત્રામાં અચાનક પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને રાષ્ટ્રગીતોની સાથે સાથે સીએમ કેજરીવાલનું પ્રવચન પણ પ્રસારિત થતા ની સાથે જ ભાજપના અગ્રણીએ ડીજે વાગતુ બંધ કરવા તાત્કાલિક સૂચના આપી હતી જે આધારે કાર્યકર્તાઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.