ધંધુકા તાલુકાની શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર જાળીયા ખાતે ગણિત-વિજ્ઞાન મેળો યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aphaqqk6jotx7z8w/" left="-10"]

ધંધુકા તાલુકાની શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર જાળીયા ખાતે ગણિત-વિજ્ઞાન મેળો યોજાયો.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા ની શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર જાળીયા ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન નુ સફળતા પુર્વક આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર જાળીયા ખાતે ગણિત- વિજ્ઞાન પ્રદર્શન મેળા નું સુંદર આયોજન કરવામાં આવેલું હતું. જેમાં શાળાની 68 કૃતિઓ તેમજ હોરર રૂમ, આદિવાસી નૃત્ય, ડાન્સિંગ રૂમ, આર્ટ રૂમ તેમજ વિવિધ કલા પ્રદર્શનનો કરવામાં આવેલ હતા. ધંધુકા તાલુકાની વિવિધ શાળાઓમાંથી 2000 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિશાળ પ્રમાણમાં વાલીગણે હાજરી આપી હતી. આ પ્રદર્શન નિહાળવા ધંધુકા તાલુકાના નામી અનામી મહાનુભાવો એ પણ હોશભેર હાજરી આપી કાર્યક્રમને બિરદાવ્યો હતો. શાળાના તમામ સ્ટાફગણ આચાર્યશ્રી તેમજ મેનેજિંગ ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]