સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની ઉપસ્થિતિમાં લુણાવાડા ખાતે ત્રિરંગાયાત્રા નીકળી - At This Time

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારની ઉપસ્થિતિમાં લુણાવાડા ખાતે ત્રિરંગાયાત્રા નીકળી


ત્રિરંગા રેલીનું આગમન થતા ઉપસ્થિત લોકો દેશભક્તિના રંગે રંગાયા.‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત દેશવાસીઓમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને તે અર્થે લુણેશ્વર પોલીસ ચોકી ખાતેથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ત્રિરંગાયાત્રાનો પ્રારંભ થયો હતો. આ તકે દેશભક્તિના ગીતો વચ્ચે મોટી સંખ્યામાં ત્રિરંગા યાત્રાના સહભાગીઓએ વંદે માતરમનાં નારા સાથે રાષ્ટ્રીય ભાવના અને દેશની એકતા અને અખંડિતતાનો પરિચય કરાવ્યો હતો.
ત્યાર બાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પી આઝાદીનાં પ્રદાનને વાગોળ્યા હતાં.
તિરંગા યાત્રામાં લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ સેવક,અગ્રણીશ્રી ડો.પ્રદ્યુમન વાજા,અગ્રણીશ્રી દશરથભાઈ બારીયા,પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.