જામનગરમાં સોનલ નગર વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુજર્ગનું ટ્રેન હડફેટે ચડી જતાં કરુણ મૃત્યુ - At This Time

જામનગરમાં સોનલ નગર વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુજર્ગનું ટ્રેન હડફેટે ચડી જતાં કરુણ મૃત્યુ


જામનગર તા 24 જુન 2022,શુક્રવાર જામનગરમાં સોનલ નગર વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષના બુઝુર્ગનું બાવરીવાસ નજીકના રેલવે પાટા પર અકસ્માતે ટ્રેન હડફેટે ચડી જતાં ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નિપજયુ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સોનલ નગર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ સાંગણપુર માયાણી નામના ૬૦ વર્ષના બુઝુર્ગ કે જેઓને તાણ-આંચકી ની બીમારી હતી, અને ગઈકાલે રેલવેના પાટા તરફ જઇ રહ્યા હતા.જે દરમિયાન ટ્રેન સાથે અથડાઇ જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે રણમલભાઇ ભીખાભાઈ ગઢવીએ પોલીસને જાણ કરતાં સી ટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.