વિસાવદર તાલુકાના રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે મહા બીજ મહોત્સવનુ આયોજન. - At This Time

વિસાવદર તાલુકાના રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે મહા બીજ મહોત્સવનુ આયોજન.


વિસાવદર તાલુકાના રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે મહા બીજ મહોત્સવનુ આયોજન.
વિસાવદર
વિસાવદર નજીક આવેલ શ્રી રામેશ્વર આપાગીગા આશ્રમ ખાતે તારીખ 23/1/23 ને સોમવારને મહા બીજ ના દિવસે બપોર પછી 4:00 વાગ્યે ધ્વજરોહણ તેમજ સાંજે 7:00 મહા આરતી તથા 8:30 મહા પ્રસાદનુ આયોજન કરવામાં આવેલ છે. સાથે રાત્રીના 9:30 કલાકે સનાતન સત્ય વીસ નો પાટ તેમજ જ્યોત આરતી દર્શન રાખવામાં આવેલ છે.ભોજન, ભક્તિ, સાથે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ મહા બીજ મહોત્સવમાં સર્વ સેવક સમુદાયને પાટ પ્રસાદ અને ભજનનો લાભ લેવા મહંતશ્રી પૂજ્ય ગોવિંદ બાપુ ગુરૂ શ્રી શામજીબાપુ દ્વરા આમન્ત્રિત કરવામાં આવે છે.
આ આશ્રમ ખાતે વર્ષ દરમ્યાન
આવતી તમામ પૂનમ અને અન્ય ધાર્મિક તહેવારો ભાવ, ભજન, અને ભોજન આ ત્રિવેણી સંગમથી ઉજવવામાં આવે છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.