કોંગ્રેસ ની પરિવર્તન યાત્રા દહેગામ આવી પહોંચી. જગદીશ ઠાકોરે ભાજપ અને આમ આદમી પાર્ટી ને આડે હાથ લીધી - At This Time

કોંગ્રેસ ની પરિવર્તન યાત્રા દહેગામ આવી પહોંચી. જગદીશ ઠાકોરે ભાજપ અને આમ આદમી પાર્ટી ને આડે હાથ લીધી


કોંગ્રેસ પાર્ટી દ્વારા શરૂ થયેલી પરિવર્તન યાત્રા આજે દહેગામ વિધાનસભા 34 ખાતે આવી પહોંચી હતી જેમાં મુખ્ય ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, નવગણજી ઠાકોર, ને દહેગામ ની બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરી ને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોટી સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જગદીશ ઠાકોર દ્વારા ભાજપ અને આપ ને આડે હાથ લેતા કહ્યું હતું કે ભાજપ ના 27 વર્ષ ના શાષણ દરમિયાન ગુજરાત ની જનતા મોંઘવારી, બેરોજગારી અને ભ્રસ્ટાચાર થી ત્રાસી ગઈ છે ત્યારે હવે માત્ર કોંગ્રેસ પાર્ટી ની સરકાર બનવા જઈ રહી છે ત્યારે જો કોંગ્રેસ પાર્ટી ની સરકાર બનશે તો ગેસ નો બાટલો માત્ર 500 રૂપિયા માં આપવામાં આવશે અને બેરોજગાર લાખો યુવાનોને નોકરી આપવામાં આવશે તેમને દહેગામ ની જનતા ને પોતાને સતત બે ટર્મ સુધી ધારાસભ્ય બનાવ્યો તે માટે આભાર માન્યો હતો અને આગામી ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર ને જંગી મતો થી જીતાડવા માટે આહવાન કરયું હતું. આ પરિવર્તન યાત્રા માં દહેગામ પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ દહેગામ કોંગ્રેસ મહિલા પ્રમુખ, તેમજ યુવા પ્રમુખ,કાર્યકરો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. , એટ ધીસ ટાઈમ ન્યૂઝદહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.