ગરબાડા દાહોદ હાઇવે પર રામ ડુંગરા નજીક અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત - At This Time

ગરબાડા દાહોદ હાઇવે પર રામ ડુંગરા નજીક અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત


  ગરબાડા દાહોદ હાઇવે પર  વાહન ચાલકોની ગફલત અને બેદરકારી ના લીધે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે તારીખ 16 ના સાંજના સમયે વધુ એક અકસ્માત ની ઘટના ગરબાડા દાહોદ હાઇવે પર રામ ડુંગરા નજીક બની હતી જે અકસ્માતમાં ઇકો કારના ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારી અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ રોડની સાઈડમાં ફંગોળાતા બંને વ્યક્તિઓ ના ઘટના સ્થળે જ  મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

 ગરબાડા દાહોદ હાઇવે ઉપર તારીખ 16 ના કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.