રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મેયરશ્રીનાં વરદ હસ્તે “કલરવ ઘોડિયાઘર” ખુલ્લું મુક્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/d15oh8mfqgmxf9sn/" left="-10"]

રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે મેયરશ્રીનાં વરદ હસ્તે “કલરવ ઘોડિયાઘર” ખુલ્લું મુક્યું.


રાજકોટ શહેર તા.૪/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની મધ્યસ્થ ઝોન કચેરી ખાતે મહાનગરપાલિકાના મહિલા કર્મચારીઓના નાના ભૂલકાઓ માટે “કલરવ ઘોડિયાઘર” માન. મેયરશ્રી ડો.પ્રદીપ ડવના વરદ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી ડો.દર્શીતાબેન શાહ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, ડેપ્યુટી કમિશનરશ્રી આશિષ કુમાર, સિટી એન્જીનીયર શ્રી કોટક, ડેપ્યુટી એન્જિનિયરશ્રી પટેલિયા તથા મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ માટે કે જેનામાં બાળકો નાના હોય અને ઘરે એકલા ન રહી શકતા હોય તેવા મહિલા કર્મચારીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે બાળકો રહી શકે અને મહિલા કર્મચારીઓ પોતાના બાળકની ચિંતા કર્યા વગર નિયમિત ફરજ બજાવી શકે તેવા આશય સાથે “કલરવ ધોડિયાઘર” બનાવવામાં આવ્યું છે. જેમાં અંદાજિત ૩૦૦.૦૦ ચો.ફૂટમાં ઘોડીયાઘરનું નિર્માણ કરાયેલ છે. ઘોડિયાઘરમાં બાળકોને વધુ સારી સગવડતા મળે તે માટે પેન્ટ્રી, વોલ પેઈન્ટીંગ, એડ કન્ડીશન, ફ્રીજ, વોટર કુલર અને રબ્બર ફલોરીંગ મેટ જેવી વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]