વિકાસશીલ ભારતના શિલ્પી, વિશ્વનેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨મા જન્મદિન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nxhkvvk1rygqikt3/" left="-10"]

વિકાસશીલ ભારતના શિલ્પી, વિશ્વનેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨મા જન્મદિન


વિકાસશીલ ભારતના શિલ્પી, વિશ્વનેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨મા જન્મદિન નિમિત્તે"સેવા અને સમર્પણ સપ્તાહ અભિયાન" નિમિત્તે ભારતીય જનતા પાર્ટી નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓ અને વિધાનસભાના સભ્ય શ્રીકૌશિકભાઈ પટેલ પૂર્વ મહેસૂલ મંત્રી ગુજરાત રાજ્ય, લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ,ફોટ,નરોડા,શ્રી મોઢ મોદી યુવા ચેરીટેબલ ટ્રસ્ટ,દૂધનાથ મહાદેવ ટ્રસ્ટ તથા ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે"નિ:શુલ્ક સર્વરોગ મેગા નિદાન કેમ્પ તથા સપ્તકુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન જાહેર જનતા માટે કરેલ હતું જેમાં આજ રોજ
તારીખ ૧૭/૦૯/૨૨ મેડિકલ કેમ્પમાં સવારે ૯.૦૦થી ૨.૦૦ દરમ્યાનમાં ૧૮૭૫ જેટલાં લોકોએ વિવિધ રોગની સારવારનો લાભ લીધો હતો અને તેઓને દવાઓ,ચશ્માનું વિતરણ નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું કેમ્પમાં પૂર્વ મહેસૂલ મંત્રી શ્રીકૌશિકભાઈ પટેલ,શહેર પ્રમુખ શ્રીઅમિતભાઈ શાહ, અમદાવાદ શહેર ડેપ્યુટી મેયર શ્રીમતિ ગીતાબેન પટેલ, નારણપુરા વિધાનસભાના મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ,સંગઠનના હોદ્દેદારો,લાયન્સ ક્લબ, ગાયત્રી પરિવાર નારણપુરાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બપોર પછી ૩-૦૦ થી ૬-૦૦ દરમ્યાન સપ્ત કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો હતો. 🌹🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]