કોર્ટએ કતલખાનું ચાલુ રાખવાની માંગ કરનાર અરજદારને ટકોર કરી:- થોડા દિવસ તો માંસ ખાવાનું બંધ કરો :જસ્ટિસ સંદીપ ભટ્ટ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pvcxl1siuxmwa2el/" left="-10"]

કોર્ટએ કતલખાનું ચાલુ રાખવાની માંગ કરનાર અરજદારને ટકોર કરી:- થોડા દિવસ તો માંસ ખાવાનું બંધ કરો :જસ્ટિસ સંદીપ ભટ્ટ


જૈનોના પવિત્ર એવા પર્યુષણમાં અમદાવાદનું એકમાત્ર કતલખાનું ચાલુ રાખવાની માંગ કરનાર અરજદારને ઠપકો આપતા ગુજરાત હાઇકોર્ટે એવું સંભળાવ્યું કે તમે થોડા દિવસ માંસ ખાવાનું કેમ બંધ નથી કરી શકતા .અરજદાર કુલ હિન્દ જમિયત - અલકુરેશી એક્શન કમિટી અમદાવાદનું એકમાત્ર કતલખાનું બંધ રાખવાના મનપાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.આ કેસની ગુરુવારે સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન અરજદાર કુલ હિન્દ જમિયત-અલકુરેશી એક્શન કમિટીએ એવી દલીલ કરી હતી કે મનપાનો નિર્ણય રાઇટ ટુ ફૂડનો ઉલ્લંઘન સમાન છે .કમિટીનો પ્રતિનિધિત્વ કરનાર દાનિશ કુરેશી રઝાવાલા એ જણાવ્યું હતું કે આ મામલો પોતાને રોકવાનો નથી,પરંતુ મૂળભૂત અધિકારોનો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]