રાજકોટ પોસ્ટ ઓફિસમાંથી10 દિવસમાં 11 હજાર તિરંગા વેચાયા, હજુ માંગ વધુ પણ રાષ્ટ્રધ્વજની અછત - At This Time

રાજકોટ પોસ્ટ ઓફિસમાંથી10 દિવસમાં 11 હજાર તિરંગા વેચાયા, હજુ માંગ વધુ પણ રાષ્ટ્રધ્વજની અછત


પોસ્ટલ કર્મચારીઓએ 500થી વધુ રાષ્ટ્રધ્વજ ઘેર ઘેર જઈને આપ્યા: હવે સ્ટોક ઓછો

દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાય તેવા આશય સાથે ઉજવણી કરવા જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન થઇ રહ્યું છે ત્યારે રાજકોટ ડિવિઝન હેઠળ આવતી પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 10 દિવસમાં 11 હજાર રાષ્ટ્રધ્વજનું વેચાણ કરાયું હોવાનું પોસ્ટના અધિકારીઓએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.