દહેગામ તાલુકા ના ચેખલાપગી આંગણવાડી ના શૌચાલય માં દારૂ ની થેલીઓ જોવા મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hw1qam8ge43d1ekw/" left="-10"]

દહેગામ તાલુકા ના ચેખલાપગી આંગણવાડી ના શૌચાલય માં દારૂ ની થેલીઓ જોવા મળી


દહેગામ તાલુકા ના ચેખલાપગી ના આંગણવાડી ક્રમાંક નંબર 2 ના શૌચાલય માં કેટલાક અસામાજિક તત્વો દ્વારા શૌચાલય માં દારૂ પી ને દારૂ ની થેલીઓ તેમાં નાખી ને આંગણવાડી ને દારૂ નો અડ્ડો બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. આંગણવાડી ના શૌચાલય અને બાજુ માં આવેલ અંબે માતાના માતાના મંદિર ને આ અસામાજિક તત્વો એ અડિંગો જમાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે મંદિર માં પણ જુગાર રમતા જોવા મળી રહ્યા છે. આંગણવાડી એટલે માં સરસ્વતી નુ ધામ પણ આ તત્વો આ આ ધામ ને પણ અપવિત્ર કરતા અચકાતા નથી. ગામના સરપંચ શ્રી લલીતાબેન બાબુભાઇ વાઘેલા પણ દારૂબંધી કરાવવા માટે દહેગામ પોલીસ સ્ટેશન ને લેખિત અરજી કરવા છતાં પણ દહેગામ પોલીસ જાણે લઠ્ઠાકાંડ ની રાહ જોઈને બેસી રહી હોય તેવું લાગી રહ્યું છે. હમણાં જ બોટાદ ના બરવાળા માં લઠ્ઠાકાંડ માં કેટલાય લોકો ના મોત થયાં છે ત્યારે ચેખલાપગી ગામને પણ દારૂબંધી કરવા માટે સરપંચ શ્રી અને ગ્રામજનો ખુબ પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ જો આવા અસામાજિક તત્વો ગામના વિકાસ ને અવરોધિત કરતા હોય છે. એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]