લીમડા ચોક શાકમાર્કેટમાં ઉપર આભ અને નીચે ધરતી છતની સુવિધા કયારે ? છતાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર સુવિધા આપવામાં અખાડા કરતું હોવાથી કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને થઈ ફરિયાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/when-will-the-above-and-below-ground-roof-facility-in-limda-chowk-vegetable-market-however-the-congress-complained-to-the-chief-minister-as-the-system-of-porbandar-municipality-was-failing-to-provid/" left="-10"]

લીમડા ચોક શાકમાર્કેટમાં ઉપર આભ અને નીચે ધરતી છતની સુવિધા કયારે ? છતાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર સુવિધા આપવામાં અખાડા કરતું હોવાથી કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને થઈ ફરિયાદ


પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે , લીમડા ચોક શાકમાર્કેટમાં વર્ષોથી ધંધાર્થીઓની માંગણી છેકે ઉપર છતની વ્યવસ્થા કરી દેવામાં આવે તો ચોમાસા દરમ્યાન તેઓને અને ગ્રાહકોને પરેશાની વેઠવી પડે નહીં પરંતુ પોરબંદર નગરપાલિકાનું તંત્ર આ મુદ્દે સંપૂર્ણપણે નિષ્કિર છે તેથી શાકભાજી વેચવાવાળા અને ગ્રાહકોને અનેકવિધ મુશ્કેલીનો સામનો કરવો પડે છે

પોરબંદરના લીમડા ચોક શાકમાર્કેટમાં ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ વચ્ચે છતની સુવિધા અપાવવા નગરપાલિકાને વારંવાર રજૂઆતો થતી હોવા છતાં તંત્ર બેધ્યાન છે ત્યારે તે અંગે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે . પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે , લીમડા ચોક શાકમાર્કેટમાં વર્ષોથી ધંધાર્થીઓની માંગણી છેકે ઉપર છતની વ્યવસ્થા કરી દેવામાં આવે તો ચોમાસા દરમ્યાન તેઓને અને ગ્રાહકોને પરેશાની વેઠવી પડે નહીં પરંતુ પોરબંદર નગરપાલિકાનું તંત્ર આ મુદ્દે સંપૂર્ણપણે નિષ્કિર છે તેથી શાકભાજી વેચવાવાળા અને ગ્રાહકોને અનેકવિધ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ચોમાસાની સીઝનમાં તાલપત્રી બાંધીને ધંધાર્થીઓને બેસવું પડતું હોવા છતા નક્કર કાર્યવાહી થઇ નહીં હોવાથી તે અંગેની મુખ્યમંત્રીને ફરિયાદ પહોંચાડવામાં આવી છે . તેમણે જણાવ્યું છે કે વિકાસકામોની વાત કરતી ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશોની પણ અણઆવડતને કારણે આવી પરિસ્થિતિ સર્જાઈ છે. માટે તંત્રએ યોગ્ય આયોજન ગોઠવવું જોઈએ તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે લીમડાચોક શાકમાર્કેટના વિકાસ માટે પાલિકાએ વ્યવસ્થિત પ્રોજેક્ટ હાથ ધરવો જોઇએ . લીમચોક શાકમાર્કેટમાં શાકભાજી વેચવા આવતા ધંધાર્થીઓ જમીન ઉપર બેસે છે તેથી તેમના માટે બાંકડા બનાવી આપવા જોઈએ તે ઉપરાંત ઉપર છતની વ્યવસ્થા કરી આપવી જોઈએ કે જેથી ચોમાસામાં ઉપસ્થિત થતો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ શકે . જેથી ખરીદી કરવા આવતા ગ્રાહકો સહિત ધંધાર્થીઓને હેરાનગતિ વેઠવી પડે નહીં શાકમાર્કેટ માં સ્ટ્રીટલાઇટની પણ અપૂરતી સુવિધા હોવાથી ધંધાર્થીઓને શાકભાજી વહેંચવામાં મુશ્કેલી વેઠવી પડે છે તેથી પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટલાઇટ ફીટ કરી આપવી જોઈએ શાકમાર્કેટમાં દરવાજાઓ એ પ્રકારે બનાવવા જોઈએ કે જેથી પશુઓની ઘૂસણખોરી અટકાવી શકાય કારણ કે અહીંયા ગાય , નદી અને શ્વાન જેવા પશુઓ ઘૂસી જાય છે અને ધંધાર્થીઓ સહિત શાકભાજી ખરીા આવતા લોકોને પણ હેરાન પરેશાન કરી મૂકે છે . એક તો મોદીના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે , આ મોંઘા શાકભાજીને પશુઓ નુકશાની પહોંચાડે છે.તેથી ધંધાર્થીઓને મોટાપાયા પર નુક્શાન થાય છે.બીજી બાજુ નંદી જેવા પશુઓ લોકોને ઈજા પહોંચાડે છે . ભવિષ્યમાં ગંભીર અકસ્માતનો ભોગ લોકો ન બને તે માટે પાલિકાએ વ્યવસ્થિત મોટા દરવાજાઓ મૂકી દેવા જોઈએ અને શાકમાર્કેટની દીવાલો ઉચી કરવી જોઈએ જેથી શ્વાન જેવા પશુઓ અંદર ઘુસી ન શકે . પોરબંદર નગરપાલિકાના સત્તાધીશો આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તે પ્રકારની રજૂઆત પોરબંદરના સિનીયર આગેવાન રામભાઈ દ્વારા કરવામાં આવી છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]