શહેરમાં કોરોનાના નવા ૩૧ કેસઃ ૪૧ દર્દીઓ સાજા થયા
રાજકોટ તા. ૩ : શહેરમાં ે ગઇકાલે કોરોનાના ૩૧ કેસ નોંધાયા જયારે ૪૧ દર્દી સાજા થયા હતા. હાલ ૨૧૨દર્દીઓ સારવાર હેઠળ છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઇકાલે શહેરમાં સાંજનાં ૬ વાગ્યા સુધીમાં ૩૧ કેસ નોંધાયા હતા. જેમાં મારૂતીનગર, ગોવિંદનગર, આશાપુરા, ગ્રીન પાર્ક, રાજ લક્ષ્મી, ઓમ નગર ચોક, નાનમવા રોડ, દેવપરા, રેલનગર, શ્રોફ રોડ, અમૃતપાર્ક, ગાંધીગ્રામ, બજરંગવાડી, મહાવીર સોસાયટી સહિતનાં વિસ્તારમાં ૧૫ પુરૂષો અને ૧૬ મહિલાઓ સંક્રમિત થયા છે.
જયારે આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૪,૫૮૦ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૮૬૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૦૩૧ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૩૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૦૧ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૯૮,૮૬૬ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૪,૫૮૦ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૮ ટકાએ પહોંચ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]