તણાવ વચ્ચે રાજકોટથી રાજસ્થાન જતી એસ.ટી. બસ હાલ બંધ કરાઈ - At This Time

તણાવ વચ્ચે રાજકોટથી રાજસ્થાન જતી એસ.ટી. બસ હાલ બંધ કરાઈ


સાવચેતીના ભાગરૂપે રાજકોટથી નાથદ્વારા અને સુંધામાતા મંદિરની એસ.ટી.ના રૂટ અટકાવ્યા

રાજસ્થાનમાં ચાલી રહેલા તણાવની સ્થિતિ વચ્ચે રાજકોટથી રાજસ્થાનના જુદા જુદા રૂટ ઉપર જતી એસ.ટી બસ હાલ તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવી છે. રાજસ્થાનમાં નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર ઉદયપુરના કન્હૈયાલાલની ગળું કાપી હત્યા કરાયા બાદ રાજસ્થાનમાં જનાક્રોશ ભભૂક્યો છે. ઉદયપુરમાં ગુરુવારે બંધ પાડી અને ઉગ્ર દેખાવો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન થયા હતા જેના પગલે ગુજરાત સરકારે પણ ગુજરાતમાંથી રાજસ્થાનના જુદા જુદા રૂટ ઉપર જતી એસ.ટી બસ હાલ તાત્કાલિક અસરથી અટકાવી દીધી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.